જામનગરમાં અંધઆશ્રમ આવાસ કોલોની વિસ્તારમાં રહેતા મનરોગી આધેડનું હૃદય બંધ પડી જતાં અપમૃત્યુ

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
જામનગરમાં અંધઆશ્રમ આવાસ કોલોની વિસ્તારમાં રહેતા મનરોગી આધેડનું હૃદય બંધ પડી જતાં અપમૃત્યુ 1 - image

image :Freepik

Heart Attack Death in Jamnagar : જામનગરમાં અંધ આશ્રમ આવાસમાં બ્લોક નંબર 31 માં રહેતા સોની જ્ઞાતિના આધેડ કે જેઓ માનસિક રીતે અસ્થિર હતા, અને તેઓનું હૃદયબંધ પડી જવાથી મૃત્યુ નીપજ્યું છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંધ આશ્રમ આવાસ કોલોનીના જુના બ્લોક નંબર 31 ના રૂમ નંબર ચારમાં રહેતા જીતેન્દ્રભાઈ અમૃતલાલ સોની (ઉ.વ.50) કે જેઓ માનસિક સમતુલા ગુમાવી બેઠા હતા, અને ગઈકાલે રાત્રે પોતાના ઘેર બેશુદ્ધ બન્યા પછી તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.

 આ બનાવ અંગે મૃતકના સંબંધી રાજેશ પ્રભુદાસભાઈ પાલાએ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન પોલિસ સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. તેઓનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજયું હોવાનું જાહેર થયું છે.


Google NewsGoogle News