જામનગરના સાપર ગામની પરણીતાનો 11 માસના પુત્રની બીમારીના ટેન્શનમાં આપઘાત

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
જામનગરના સાપર ગામની પરણીતાનો 11 માસના પુત્રની બીમારીના ટેન્શનમાં આપઘાત 1 - image


Jamnagar Suicide Case : જામનગર તાલુકાના સાપર ગામમાં રહેતી એક પરણીતા એ પોતાના 11 માસના પુત્રની બીમારીના ટેન્શનના કારણે એસિડ પી લઈ આત્મહત્યા કરી લીધી છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સાપર ગામમાં રહેતી દિવ્યાબા સિધ્ધરાજસિંહ વાઘેલા નામની 24 વર્ષની પરણીતાએ ગઈકાલે પોતાના ઘેર એસિડ પી લેતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પછી તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબે જાહેર કર્યું છે.

 આ બનાવ અંગે મૃતકના પતિ સિધ્ધરાજસિંહ મંગળસિંહ વાઘેલાએ પોલીસને જાણ કરતાં સિક્કાના પી.આઇ.વી.બી. ચૌધરીએ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી જઇ દિવ્યાબાના મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

 પોલીસની પ્રાથમિક પૂછપરછ દિવ્યાબાનો 11 માસનો પુત્ર મિતરાજસિંહ કે જે છેલ્લા કેટલાક દિવસથી શરદીની બીમારીથી પીડાતો હતો, અને તેની નાની-નાની બીમારીના કારણે રડ્યા કરતો હોવાથી માતા દિવ્યબા ટેન્શનમાં આવી ગઈ હતી, અને પુત્રની બીમારીના ટેન્શનના કારણે આપઘાત કરી લીધો હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.


Google NewsGoogle News