જામનગરમાં પરણીતાને સાસરિયાઓનો સિતમ : પતિ-સાસુ અને સસરાના ત્રાસથી કંટાળી થાઇરોઇડની દવાના ટીકડા ખાઈ લેતાં હોસ્પિટલમાં ખસેડાઈ

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
જામનગરમાં પરણીતાને સાસરિયાઓનો સિતમ  : પતિ-સાસુ અને સસરાના ત્રાસથી કંટાળી થાઇરોઇડની દવાના ટીકડા ખાઈ લેતાં હોસ્પિટલમાં ખસેડાઈ 1 - image


Jamnagar News : જામનગરમાં મોરકંડા રોડ પર સનસીટી વિસ્તારમાં રહેતી એક પરણીતાને તેણીના સાસરિયાઓએ ત્રાસ ગુજાર્યો હોવાથી થાઇરોઈડની બીમારીની વધુ પડતી દવાની ટિકડીઓ ખાઈ લેતા દ્વિપરિત અસર થવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. પોલીસે સાસરીયાઓ સામે ત્રાસ અંગે ગુનો નોંધ્યો છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સનસિટી વિસ્તારમાં રહેતી અજમીનાબેન નૌસાદભાઈ હાલાણી નામની 33 વર્ષની સુમરા જ્ઞાતિની યુવતીએ ગઈકાલે પોતાના ઘેર થાઇરોઈડની બીમારીની વધુ પડતી ગોળીઓ ખાઈ લેતાં તેણીને વિપરીત અસર થવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

 આ બનાવવાની જાણ થતાં મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. જી.જી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને અજમીનાબેનનું નિવેદન નોંધ્યું હતું. જેમાં તેણીએ પોતાના સાસરીયાઓના ત્રાસના કારણે આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું.

 પોતાના પતિ નૌસાદ અનવરભાઈ હાલાણી કે જે હાલ આફ્રિકા જતા રહેલ છે, જેને જામનગર પરત આવવા બાબતે અજમીનાબેન સાથે બોલાચાલી થઈ હતી, ઉપરાંત સાસુ સસરાએ ત્રાસ આપ્યો હતો, જેના કારણે આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. જેથી પોલીસે અજમીનાબેનની ફરિયાદના આધારે તેણીના પતિ નૌસાદ અનવરભાઈ હાલાણી, સાસુ અમીનાબેન અનવરભાઈ હાલાણી, અને સસરા અનવરભાઈ હાલાણી સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News