જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરમાં જલારામ જયંતી નિમિત્તે મહાઆરતી તથા મહાપ્રસાદ સહિતનું આયોજન કરાયું

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરમાં જલારામ જયંતી નિમિત્તે મહાઆરતી તથા મહાપ્રસાદ સહિતનું આયોજન કરાયું 1 - image

જામનગર,તા.20 નવેમ્બર 2023,સોમવાર

જામનગર નજીક હાપા સ્થિત જલારામ મંદિરમાં પૂજ્ય જલારામબાપાની જન્મ જયંતી નિમિત્તે મહાપ્રસાદ તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર જિલ્લાના મહાનુભાવો દ્વારા મહા આરતી કરવામાં આવી હતી, તેમજ અનેક જલારામ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. 

જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરમાં જલારામ જયંતી નિમિત્તે મહાઆરતી તથા મહાપ્રસાદ સહિતનું આયોજન કરાયું 2 - image

જામનગરના હાપા ખાતે આવલા જલારામ મંદિરમાં ગઈકાલે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ મહા આરતીમાં ગુજરાત રાજયના કેબિનેટ મંત્રી મુળુ બેરા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, લોહાણા જ્ઞાતિના પ્રમુખ જીતુ લાલઝ, નોબતના ચેતન માધવાણી, ગોવા શિપ યાર્ડના ડાયરેકટર અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ હસમુખ હિંડોચા, વકીલ ભાવિન ભોજાણી, ફાગ હાપા જલારામ મંદિરના રમેશ દતાણી સહિતના કાર્યકર્તાઓએ મહા આરતીનો લાભ લીધો હતો, અને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરમાં જલારામ જયંતી નિમિત્તે મહાઆરતી તથા મહાપ્રસાદ સહિતનું આયોજન કરાયું 3 - image


Google NewsGoogle News