જામનગરના સાહિત્યકાર ડો. સતિષચંદ્ર વ્યાસ 'શબ્દ' ને રાજ્યપાલનાં હસ્તે 'સંસ્કાર વિભૂષણ' એવોર્ડ એનાયત

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
જામનગરના સાહિત્યકાર ડો. સતિષચંદ્ર વ્યાસ 'શબ્દ' ને રાજ્યપાલનાં હસ્તે 'સંસ્કાર વિભૂષણ' એવોર્ડ એનાયત 1 - image


Jamnagar News : તાજેતરમાં સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા અમદાવાદમાં ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનાં અધ્યક્ષ સ્થાને સંસ્કાર પુરસ્કાર સમારંભ યોજાયો હતો. જેમાં રાજ્યભરનાં વિવિધ 30 સાહિત્યકારો-કલાકારોને સન્માનીત કરવામાં આવ્યા હતાં.

જામનગરના સાહિત્યકાર ડો. સતિષચંદ્ર વ્યાસ 'શબ્દ' ને રાજ્યપાલનાં હસ્તે 'સંસ્કાર વિભૂષણ' એવોર્ડ એનાયત 2 - image

કાર્યક્રમમાં જામનગરનાં વરિષ્ઠ સાહિત્યકાર, ઇતિહાસકાર અને સંશોધક ડો. સતિષચંદ્ર વ્યાસ 'શબ્દ' ને 'સંસ્કાર પુરસ્કાર' તથા 'સંસ્કાર વિભૂષણ' એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતાં.તેઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનાં હસ્તે 'સંસ્કાર પુરસ્કાર' પ્રદાન થયો હતો તેમજ વરિષ્ઠ સાહિત્યકાર-ઇતિહાસકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનાં હસ્તે 'સંસ્કાર વિભૂષણ' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આમ નગરનાં વરિષ્ઠ સાહિત્યકારને બે પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રદાન થતા નગરનાં સાહિત્ય ગૌરવમાં વધારો થતા ડો. સતિષચંદ્ર વ્યાસ 'શબ્દ' પર અભિનંદન વર્ષા થઇ રહી છે.



Google NewsGoogle News