જામનગરના ખંભાલીડા ગામમાં વાડીના મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
જામનગરના ખંભાલીડા ગામમાં વાડીના મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો 1 - image


- મોટી બાણુગાર, રાજકોટ, વાંકીયા, ધ્રોળ સહિતના 9 જુગારીયા તત્વો રંગે હાથ ઝડપાયા: 3.28 લાખની માલમતા કબજે

જામનગર,તા.22 માર્ચ 2024,શુક્રવાર

જામનગર તાલુકાના ખંભાલીડા ગામમાં આવેલી એક વાડીમાં જુગારધામ ચાલી રહ્યું છે, અને આસપાસના વિસ્તારના લોકો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડી નવ આરોપીઓને ઝડપી લીધા છે ,અને તેઓ પાસેથી રોકડ રકમ સહિત રૂપિયા 3,28,000ની માલમતા કબજે કરી છે.

  જામનગર તાલુકાના ખંભાલીડા ગામમાં રહેતા મહીરાજસિંહ જયવંતસિંહ જાડેજા નામના શખ્સ દ્વારા પોતાની વાડીના મકાનમાં જુગારધામ ચલાવવામાં આવી રહ્યું છે, અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો ત્યાં આવીને જુગાર રમી રહ્યા છે. તેવી બાતમીના આધારે ગઈકાલે રાત્રે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો.

 જે દરોડા દરમિયાન 9 શખ્સો ગંજીપાના વડે જુગાર રમી રહેલા મળી આવ્યા હતા. આથી પોલીસે વાડી માલિક મહીરાજ સિંહ જયવંતસિંહ જાડેજા તેમ જ ધ્રોળના કાંતિ મગનભાઈ દલસાણીયા, વાંકીયા ગામના કારાભાઈ ભીખાભાઈ ઝાપડા, રાજકોટના કાંતિલાલ ડાયાભાઈ ભીમાણી, ખંભાલીડા ગામના નરેન્દ્રસિંહ રામસિંગ જાડેજા તેમજ ચેતન ભેંસદડીયા અને જાદવજીભાઈ જેસાભાઇ બાંભવા ઉપરાંત ધ્રોલના શાંતિલાલ બાવજીભાઈ ગડારાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 1,38,500 ની રોકડ રકમ, નવ નંગ મોબાઈલ ફોન, પાંચ નંગ બાઇક સહિત કુલ 3,28,650ની માલમતા કબજે કરી છે.


Google NewsGoogle News