જામનગરના શાક માર્કેટ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય : સાફ-સફાઈના અભાવે રોગચાળાને ખુલ્લુ નિમંત્રણ

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
જામનગરના શાક માર્કેટ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય : સાફ-સફાઈના અભાવે રોગચાળાને ખુલ્લુ નિમંત્રણ 1 - image


Jamnagar News : જામનગર શહેરમાં ભારે વરસાદ પડી ગયા પછી પૂરના પાણી ઓસરી જતાં ઠેર-ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. આવી પરિસ્થિતિ જામનગરના શાકમાર્કેટ વિસ્તારમાં પણ બનેલી છે, અને શાકભાજીના રેકડી ધારકોને અડીને પારાવાર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે.

 સફાઈ તંત્રની બેદરકારીના કારણે જ આવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. લોકોએ ખૂબ જ દુર્ગંધ મારતી સ્થળેથી શાકભાજી ખરીદવાનો વારો આવે છે અને રોગચાળાનો પણ ભય તોડાઈ રહ્યો છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાના તંત્ર વાહકોએ આ બાબતે ધ્યાનમાં લઈને તુરંત યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગણી છે.


Google NewsGoogle News