જામનગરમાં ખોડલધામ પરિવારના ઉપક્રમે નવરાત્રિ કાર્યકર્તા સ્નેહમિલન યોજાયું , ચેરમેન, કેબિનેટમંત્રી તથા ધારાસભ્યની હાજરી

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
જામનગરમાં ખોડલધામ પરિવારના ઉપક્રમે નવરાત્રિ કાર્યકર્તા સ્નેહમિલન યોજાયું , ચેરમેન, કેબિનેટમંત્રી તથા ધારાસભ્યની હાજરી 1 - image


Jamnagar News : જામનગરમાં સેટેલાઇટ પાર્ક ખાતે ગઇકાલે શુક્રવારે સાંજે જામનગર ખોડલધામ પરિવારના ઉપક્રમે નવરાત્રિ કાર્યકર્તા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા દર વર્ષે સેટેલાઇટ પાર્ક ખાતે વિશાળ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.  

જામનગરમાં દર વર્ષે જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા શહેરના સેટેલાઇટ પાર્ક ખાતે આવેલી કાલિન્દી વર્લ્ડ સ્કૂલના મેદાનમાં નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવે છે. હજારો લોકો આ નવરાત્રિ મહોત્સવનો આનંદ માણે છે.

જામનગરમાં ખોડલધામ પરિવારના ઉપક્રમે નવરાત્રિ કાર્યકર્તા સ્નેહમિલન યોજાયું , ચેરમેન, કેબિનેટમંત્રી તથા ધારાસભ્યની હાજરી 2 - image

આ ભવ્ય મહોત્સવની સફળતા માટે ખોડલધામ પરિવારના સેંકડો યુવાનો અને અગ્રણીઓ જહેમત ઉઠાવે છે. ગઇકાલે શુક્રવારે સાંજે આ જ મેદાનમાં ખોડલધામ પરિવાર દ્વારા નવરાત્રિ કાર્યકર્તા સ્નેહમિલનનો પારિવારીક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં માતાજીની આરતી કરવામાં આવી હતી, અને સૌ કાર્યકર્તાઓના પરિવારોનું સમૂહભોજન યોજાયું હતું.

આ આ કાર્યક્રમમાં ખોડલધામ કાગવડના ચેરમેન નરેશ પટેલ, કેબિનેટમંત્રી રાઘવજી પટેલ, શહેર ધારાસભ્ય દિવ્યેશ અકબરી, અન્ય આગેવાનો જિતુભાઈ કમાણી, ખોડલધામ ટ્રસ્ટી નાથાભાઈ મુંગરા તથા મહિલા અગ્રણીઓ અને કાર્યકર્તાઓ તથા તેમના પરિવારજનો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આગામી નવરાત્રિ મહોત્સવ સહિતની સામાજિક તેમજ ધાર્મિક બાબતોની ચર્ચાઓ કરી હતી.


Google NewsGoogle News