જામનગર કલેકટર કચેરી ખાતે કર્મયોગીઓ દ્વારા ''આતંકવાદ વિરોધી દિવસ'' નિમિત્તે શપથ ગ્રહણ કરવામાં આવ્યા

Updated: May 21st, 2024


Google NewsGoogle News
જામનગર કલેકટર કચેરી ખાતે કર્મયોગીઓ દ્વારા ''આતંકવાદ વિરોધી દિવસ'' નિમિત્તે શપથ ગ્રહણ કરવામાં આવ્યા 1 - image


દર વર્ષે તારીખ ૨૧ મે ના રોજ ''આતંકવાદ વિરોધી દિવસ/ એન્ટી ટેરેરિઝમ ડે'' નિમિત્તે રાજ્યની તમામ કચેરીઓમાં શપથ ગ્રહણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ તારીખ ૨૧ મે ના રોજ જામનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી બી.કે.પંડ્યા સહિત ઉપસ્થિત કર્મયોગીઓએ રાષ્ટ્રમાં સામાજિક સદભાવ, શાંતિ અને સલામતી જાળવી રાખવા માટે અને તેમાં યોગદાન આપવા માટે સત્યનિષ્ઠા સાથે શપથ ગ્રહણ કર્યા હતા. 

જામનગર કલેકટર કચેરી ખાતે કર્મયોગીઓ દ્વારા ''આતંકવાદ વિરોધી દિવસ'' નિમિત્તે શપથ ગ્રહણ કરવામાં આવ્યા 2 - image

આ શપથ ગ્રહણ સમારોહ દરમિયાન જામનગર શહેર પ્રાંત અધિકારીશ્રી પરમાર તેમજ કલેકટર કચેરીની વિવિધ શાખાના અધિકારીગણ અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.


Google NewsGoogle News