કાલાવડ કોંગ્રેસે ભાજપના ભ્રષ્ટાચાર સામે લોકજાગૃતિ અભિયાન શરૂ કર્યું, રથ સાથે મુખ્ય માર્ગો પર પત્રિકા વિતરણ

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
કાલાવડ કોંગ્રેસે ભાજપના ભ્રષ્ટાચાર સામે લોકજાગૃતિ અભિયાન શરૂ કર્યું, રથ સાથે મુખ્ય માર્ગો પર પત્રિકા વિતરણ 1 - image


Jamnagar Congress Protest : કાલાવડ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકારના ભ્રષ્ટાચાર અને સરકારી તંત્રની બેદરકારી સામે લોકજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોકલવામાં આવેલા રથ સાથે શહેરના મુખ્ય માર્ગો પર પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું.

આ અભિયાનમાં જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રભારી અને ગુજરાત કોંગ્રેસના મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી, કાલાવડના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મુસડીયા, જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જે.ટી.પટેલ, જિલ્લા મહામંત્રી દેવદાનભાઈ, કાલાવડ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મેહુલ સોજીત્રા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ દીપક વસોયા, નગરપાલિકાના પૂર્વ સદસ્ય મહેશ વાદી સહિતના કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

 કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકાર ભ્રષ્ટાચારમાં લિપ્ત છે અને સરકારી તંત્ર ગંભીર બેદરકારી દાખવી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં લોકોને જાગૃત કરવા અને ભાજપ સરકારના કારનામાઓનો ખુલાસો કરવા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.


Google NewsGoogle News