જામનગરના ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની રાજપૂત સમાજ વિશેની ટિપ્પણી સંદર્ભે આક્રોશ

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
જામનગરના ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની રાજપૂત સમાજ વિશેની ટિપ્પણી સંદર્ભે આક્રોશ 1 - image

જામનગર,તા.28 માર્ચ 2024,ગુરૂવાર

રાજકોટમાં રોટી-બેટી બોલનારા ભાજપના વરિષ્ઠ આગેવાન અને રાજકોટ લોકસભાની બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદનનો સંદર્ભમાં જામનગરના ક્ષત્રિય સમાજમાં પણ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે, અને ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને વખોડી કાઢવા માટે એકત્ર થયો હતો, અને તેઓની ટિકિટ કાપવાની માંગણી કરવામાં આવી છે.

 જામનગરના ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની રાજપૂત સમાજ વિશેની ટિપ્પણી સંદર્ભે આક્રોશ 2 - image

ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા, કે જેઓએ સમગ્ર દેશના પૂર્વ મહારાજઓ તેમજ રાજપુત સમાજની બહેન દીકરીઓ વિશે અત્યંત ખરાબ શબ્દ વાપરીને ટીપ્પણી કરી હતી, જેના સૌરાષ્ટ્ર ભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.

 જેનો વિરોધ જામનગરમાં પણ જોવા મળ્યો છે, અને આજે જામનગરના લાલ બંગલા પાસે આવેલા રાજપૂત સેવા સમાજમાં શહેર જિલ્લાના રાજપૂત અગ્રણીઓ એકત્ર થયા હતા, અને પુરુષોત્તમ રૂપાલાના નિવેદનોને વખોડી કાઢી ભારતીય જનતા પાર્ટી દ્વારા તેઓની રાજકોટની ટિકિટ કાપવાની ઉગ્ર માગણી કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News