જામનગર : જોડીયાના વાવડી ગામે માવતરે આવેલી પરણીતાને ભાભી સાથે ઝઘડો થતાં માઠું લાગવાથી એસિડ પી લઈ આપઘાત

Updated: Apr 16th, 2024


Google NewsGoogle News
જામનગર : જોડીયાના વાવડી ગામે માવતરે આવેલી પરણીતાને ભાભી સાથે ઝઘડો થતાં માઠું લાગવાથી એસિડ પી લઈ આપઘાત 1 - image


Suicide Case in Jamnagar : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામમાં પોતાના માવતરે આંટો દેવા માટે આવેલી પરણિતાને પોતાના ભાભી સાથે ઝઘડો થતાં મનમાં લાગી આવ્યું હતું, અને ઘરમાં પડેલું એસીડ પી લઇ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.

 આ બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના વાવડી ગામમાં રહેતી અને ધ્રોળ તાલુકાના ઇટાળા ગામમાં પરણેલી મધુબેન લાલાભાઇ રાતડીયા નામની 22 વર્ષની ભરવાડ યુવતી કે જે પરમદીવસે પોતાના માવતરે પ્રસંગ હોવાથી વાવડી ગામે આંટો દેવા માટે આવી હતી.

 જે દરમિયાન તેણીના ભાભી સાથે બોલાચાલી થઈ હતી, જેનું મનમાં લાગી આવતાં તેણીએ ઘરમાં પડેલું એસીડ પીલઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે પમીબેન છગનભાઈ ટોયટાએ પોલીસને જાણ કરતાં મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News