જામનગરમાં મિલ્કત વેરા, વોટર ચાર્જ અને વ્યવસાય વેરોમાં 100 ટકા વ્યાજ માફી મળશે

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
જામનગરમાં મિલ્કત વેરા, વોટર ચાર્જ અને વ્યવસાય વેરોમાં 100 ટકા વ્યાજ માફી મળશે 1 - image

જામનગર,તા.17 ફેબ્રુઆરી 2024,શનિવાર 

જામનગર મહાનગરપાલિકા ની સ્ટે. કમિટીના ઠરાવ અનુસાર શહેરીજનો માટે વધુ એક તક બાકી વેરા સહેલાયથી ભરપાઇ કરવા માટે આપવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા દવારા મિલ્કત વેરા, વોટર ચાર્જ,  વ્યવસાય વેરામાં 100 ટકા વ્યાજ માફી યોજના તા.15/02/2024 થી તા.31/03/2024 સુધી જાહેર કરવામાં આવી છે. આ તકનો લાભ લેવા જામનગર શહેરના શહેરીજનોને જાહેર અપીલ  કરવામાં આવી છે.

મિલ્કત વેરા અને અન્ય સંલગ્ન વાર્ષિક કર દર સાલે તા.01, એપ્રિલ અને તા.01 ઓકટોબરના ડયુ થાય છે. અને તે દર છ માસે એડવાન્સમાં ભરપાઈ કરવાના રહે છે. શહેર હદ વિસ્તારમાં મિલ્કત ધરાવતાં તમામ શહેરીજનોને આ પ્રેસનોટ થી સુમાહિતગાર કરવામાં આવે છે કે જો આપ શહેરી હદ વિસ્તારમાં કોઈપણ મિલ્કત ધરાવતાં હોય તો આપ મિલ્કતવેરા અને તેને સંલગ્ન વેરા ભરવા જવાબદાર છો અને એ પણ એડવાન્સમાં એટલે કે, 1 એપ્રિલ અને 1 ઓક્ટોબરના 

ચાલુ નાણાંકિય વર્ષ 2023-24 ના બિલો બજવણીની પ્રક્રિયા હાલે ચાલુ હોય પરંતુ જે આસામી/શહેરીજનોને બિલો પ્રાપ્ત થયેલ ન હોય, તે જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ www.mcjamnagar.com પર થી ડાઉનલોડ કરી મેળવી શકશે. અથવા તો જામનગર મહાનગરપાલિકાની મિલ્કતવેરા શાખામાંથી રૂબરૂ મેળવી શકશે. ગુજરાત રાજય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા અધિનિયમ - 1976 અન્વયે વ્યવસાય વેરાના કાયદાના 

અમલીકરણ અને સતાની જવાબદારી જામનગર મહાનગરપાલિકાને સોંપવામાં આવેલ છે. જેમાં વાર્ષિક હોલ્ડરોને વાર્ષિક વ્યવસાય વેરા તા.30/09 સુધી ભરપાઈ કરવાની રહે છે તથા રજીસ્ટ્રેશન હોલ્ડરોનો વ્યવસાયવેરો દર માસે ભરપાઈ કરવાનો રહે છે. વર્ષ 2023-24 સુધી ભરપાઈ કરવાનો બાકી હોય, તેવા બાકીદારોને આ પ્રેસનોટ થી ઉપરોકત સમયગાળા દરમ્યાન વ્યાજમાફી ની જાણ કરવામાં આવે છે.

જામનગર મહાનગરપાલિકામાં ટેકસ સ્વીકારવા માટે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, શરૂસેકશન સિવિક સેન્ટર, રણજીત નગર સિવીક સેન્ટર તથા ગુલાબનગર સિવીક સેન્ટર, રીકવરી વેન તથા જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ www.mcjamnagar.com પર અને   HDFC BANK, IDBI BANK, નવાનગર બેંકની તમામ બ્રાન્ચોમાં પણ ભરપાઈ કરી શકાશે. આ વ્યાજ માફી નો લાભ મેળવી આપના બાકી રહેતા મિલકત વેરા- વોટર ચાર્જ અને વ્યવસાય વેરા જામનગર મહાનગરપાલિકામાં વહેલી તકે ભરપાઈ કરવા આસી. કમિશનર (ટેક્સ) જામનગર મહાનગરપાલિકાએ અનુરોધ કર્યો છે.


Google NewsGoogle News