જામનગરના ટ્રાફિક બ્રિગેડના જવાન પર હુમલો કરી ફરજમાં રૂકાવટ : પર પ્રાંતિય શખ્સ સામે ફરિયાદ

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
જામનગરના ટ્રાફિક બ્રિગેડના જવાન પર હુમલો કરી ફરજમાં રૂકાવટ : પર પ્રાંતિય શખ્સ સામે ફરિયાદ 1 - image

જામનગર,તા.30 નવેમ્બર 2023,ગુરૂવાર

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ટ્રાફીકની ફરજ બજાવી રહેલા ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે પર પ્રાંતીય શખ્સે બોલાચાલી કર્યા પછી તેના પર ટિફિન વડે હુમલો કરી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દેવુભાના ચોક વિસ્તારમાં રહેતા અને જામનગરની ટ્રાફિક શાખામાં ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતા જયવીન મુકેશભાઈ ઓઝાએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના ઉપર ટિફિન વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ પોતાની ફરજમાં રૂકાવટ ઊભી કરવા અંગે મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ મહાકાળી સર્કલ વિસ્તારમાં રહેતા ક્રિષ્ના રામસુંદર રાજપૂત સામે ફરિયાદ નોંધાવી છે.

 ફરિયાદી ખોડિયાર કોલોની વિસ્તારમાં પોતાની ફરજ પર હતા, જે દરમિયાન વાહન ચાલકને રોકવા બાબતે આરોપી સાથે બોલાચાલી થઈ હતી, અને હાથમાં રહેલું ટિફિન ટ્રાફિક બ્રિગેડના ખંભા તથા માથામાં ફટકારીને ઇજા પહોંચાડી હતી. પોલીસે આરોપી ક્રિષ્ના રાજપુત સામે આઇપીસી કલમ 186 અને 332 મુજબ ગુન્હો નોંધ્યો છે.


Google NewsGoogle News