જામનગરની વિપ્ર પરણીતાને રસોઈ બનાવતાં આવડતું નથી, તેમ કહી પતીએ હાંકી કાઢ્યાની પોલીસ ફરિયાદ

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
જામનગરની વિપ્ર પરણીતાને રસોઈ બનાવતાં આવડતું નથી, તેમ કહી પતીએ હાંકી કાઢ્યાની પોલીસ ફરિયાદ 1 - image

જામનગર,તા.03 નવેમ્બર 2023,શુક્રવાર

જામનગરમાં સેન્ટ્રલ બેન્ક નજીક મઠ ફળી વિસ્તારમાં રહેતી એક વિપ્ર પરણિતાને તેણીના પતિએ રસોઈ બનાવતાં આવડતું, નથી તે બાબતે ઝઘડો કરી માર કરીને ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારની વતની અને મઠફળીમાં પરણાવેલી શોભનાબેન કેતનભાઇ જોષી નામની 43 વર્ષની પરિણીતાએ પોતાને રસોઈ કરવા બાબતે તેમજ નાની નાની અન્ય બાબતોમાં વાંક કાઢી માર મારી ઘરમાંથી હાંકી કાઢવા અંગે પોતાના પતિ કેતન અજીતભાઈ જોશી સામે ફરિયાદ નોંધાવી છે.

 જે ફરિયાદના અનુસંધાને મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે પતિ કેતન અજીત જોશી સામે આઇપીસી કલમ 498 એ 323, અને 504 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News