જામનગર : લાલપુરના નજીક બે બાઈક સામસામે અથડાતા આધેડનું મૃત્યુ: અન્ય એકને ઇજા

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
જામનગર : લાલપુરના નજીક બે બાઈક સામસામે અથડાતા આધેડનું મૃત્યુ: અન્ય એકને ઇજા 1 - image

જામનગર,તા.14 માર્ચ 2024,ગુરૂવાર

જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર પીપરટોડા ગામના પાટીયા પાસે આજે સવારે બે બાઈક સામસામે અથડાઈ પડતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને બાઈકના ચાલકો ઘાયલ થયા પછી એક બાઈકના ચાલક ગોરખડી ગામના આઘેડનું ગંભીર ઇજા થવાથી કારણ મૃત્યુ નીપજ્યું છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર-લાલપુર ધોરી માર્ગ પર પીપરટોડા ગામના પાટીયા પાસે જીજે 10 સી.ક્યુ. 4433 નંબરના બાઈક સાથે સામેથી આવી રહેલું અન્ય એક બાઈક ટકરાઈ જતાં ધડાકા ભૈર અકસ્માત થયો હતો, અને બંને બાઈકના ચાલકો માર્ગ પર ફંગોળાયા હતા.

જેમાં એક બાઈકના ચાલક જામજોધપુર તાલુકાના ગોરખડી ગામના ભીમાભાઇ મેપાભાઇ ચાવડા ઉંમર વર્ષ 58 નું હેમરેજ થવાના કારણે જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.108 ની ટુકડીએ બંને બાઈકના ઈજાગ્રસ્તો ને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જેમાં એક બાઈક ચાલક સારવાર હેઠળ છે. પરન્તુ અન્ય બાઇક ના ચાલક મૂળ ગોરખડી ગામના વતની અને હાલ જામનગરમાં રહેતા ભીમાભાઈ ચાવડા (ઉ.વ. 58 વર્ષ) નું મૃત્યુ નીપજયું છે.

 તેઓ પોતાનું બાઈક લઈને જામનગર થી ગોરખડી ગામે જઈ રહ્યા હતા, દરમિયાન પીપરટોડા પાસે આ અકસ્માત નડ્યો હતો. સમગ્ર બનાવની જાણ થતાં લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે. કે. ચાવડા બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયા હતા, અને વધુ તપાસ હાથ ધરી છે


Google NewsGoogle News