જામનગર : લાલપુરના સણોસરા ગામમાં બે સગા ભાઇના પરિવારો વચ્ચે જમીનના પ્રશ્ન ધીંગાણું: પાંચને ઇજા

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
જામનગર : લાલપુરના સણોસરા ગામમાં બે સગા ભાઇના પરિવારો વચ્ચે જમીનના પ્રશ્ન ધીંગાણું: પાંચને ઇજા 1 - image

image : Freepik

Crime News Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરા ગામમાં આહીર પરિવારના બે ભાઈઓ વચ્ચે જમીનના પ્રશ્ને ધીંગાણું થયું હતું, અને બંને પક્ષે સામ સામે હુમલા કરાતાં પાંચ વ્યક્તિઓ ઘાયલ થઈ છે, અને તમામને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. લાલપુરનો પોલીસ કાફ્લો દોડતો થયો છે, અને સણોસરા ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

 આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના સણોસરા ગામમાં રહેતા આહિર જ્ઞાતિના ગાગલિયા પરિવારના બે ભાઈઓ વચ્ચે જમીનના પ્રશ્ને છેલ્લા કેટલાક સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો છે. જે મામલે ગઈકાલે રાત્રે બંને ભાઈઓના પરિવારના સભ્યો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થયું હતું, અને ધોકા પાઇપ જેવા હથિયારો વડે સામસામમાં હુમલા કરાયા હતા.

 જે મારામારીના બનાવવા બંને પક્ષોની કુલ પાંચ વ્યક્તિ ઘાયલ થઈ છે, અને તમામને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હુમલાના બનાવની જાણ થતાં લાલપુરના પી.એસ.આઇ અને તેમનો સ્ટાફ સણોસરા ગામે પહોંચી ગયો હતો, તેમજ જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયો છે, અને તમામના નિવેદનો નોંધી ફરિયાદ લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત સણોસરા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


Google NewsGoogle News