જામનગરના અપહરણના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો ફરતો આરોપી સાયલા પંથકમાંથી ઝડપાયો

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
જામનગરના અપહરણના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો ફરતો આરોપી સાયલા પંથકમાંથી ઝડપાયો 1 - image


Jamnagar News : જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકના એક અપહરણના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે સાયલા પંથકમાંથી ઝડપી લીધો છે.

 જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં 2021 ની સાલમાં એક અપહરણનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં મૂળ દાહોદના વતની સંજય મોહનભાઈ કે જે છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો ફરતો રહ્યો હતો.

 ઉપરોક્ત આરોપી સાયલા તાલુકાના ગરમડી ગામે એક વાડીમાં સંતાઈને મજૂરી કામ કરે છે, તેવી બાતમીના આધારે જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમેં ત્યાં પહોંચી જઈ આરોપીને ઊંઘતો ઝડપી લીધો હતો, અને જામનગર લઈ આવ્યા પછી પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.


Google NewsGoogle News