જામનગર : કાલાવડ તાલુકાના નિકાવા ગામના ખેડૂત બુઝુર્ગનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાત

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
જામનગર : કાલાવડ તાલુકાના નિકાવા ગામના ખેડૂત બુઝુર્ગનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાત 1 - image

જામનગર,તા.27 ઓક્ટોબર 2023,શુક્રવાર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા 65 વર્ષના બુઝુર્ગે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા પછી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું છે.

 કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા શામજીભાઈ બેચરભાઈ પરમાર નામના 65 વર્ષના બુઝુર્ગે પોતાની વાડીમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા પછી ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.

 આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ મનજીભાઈ બેચરભાઈ પરમારે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News