જામનગર કોંગ્રેસ દ્વારા રાજકોટ ગેમઝોન દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાઇ

Updated: May 27th, 2024


Google NewsGoogle News
જામનગર કોંગ્રેસ દ્વારા રાજકોટ ગેમઝોન દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાઇ 1 - image


Jamnagar Congress : રાજકોટમાં ગેમઝોનમાં લાગેલી ભિષણ આગમાં 28 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તે તમામ હતભાગી દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા.

 જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, ગુજરાત પ્રદેશના મહિલા કોંગ્રેસ અગ્રણી સારાહબેન મકવાણા, કોર્પોરેટર જૈનબબેન ખફી, તથા શહેરના અન્ય કોંગી હોદ્દેદારો - કાર્યકરો વગેરેની ઉપસ્થિતિમાં દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી.


Google NewsGoogle News