જામનગર : કાલાવડ નજીકના વિસ્તારમાંથી PGVCLના વીજવાયરની ચોરીની ફરિયાદ
image : Freepik
Jamnagar News : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની નાગાજર ગામની સીમ વિસ્તારમાં કોઈ તસ્કરો રૂપિયા 40 હજારની કિંમતના 55 એમ.એમ. વીજવાયરની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ પથકમાં નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના નાની નાગાજર ગામની સીમ વિસ્તારમાં આવેલા પીજીવીસીએલના 55 એમ.એમ.ના આશરે 1200 મીટર વીજ વાયર કે જેની કિંમત રૂપિયા 40,793 થાય છે. જેની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા.
જે બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય વિભાગની કચેરીના કર્મચારી ગૌરાંગભાઈ વાલજીભાઈએ ફરિયાદ નોંધાવતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.એસ.આઇએ તપાસ શરૂ કરી છે.