જામનગર : લાલપુરના સણોસરા ગામમાં જમીનના પ્રશ્ન બે ભાઈઓના પરિવાર વચ્ચે ધીંગાણું, સામસામે પોલીસ ફરિયાદ

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
જામનગર : લાલપુરના સણોસરા ગામમાં જમીનના પ્રશ્ન બે ભાઈઓના પરિવાર વચ્ચે ધીંગાણું, સામસામે પોલીસ ફરિયાદ 1 - image


Crime News Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરા ગામમાં આહિર જ્ઞાતિના બે ભાઈઓના પરિવાર વચ્ચે જમીન બાબતે ઝઘડો થયો હતો, અને સામસામા હુમલા કરાયા હતા. જેમાં બંને પક્ષે પાંચ વ્યક્તિ ઘાયલ થઈ હતી, જે મામલે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

 સણોસરા ગામમાં પુનિત નગરમાં રહેતા અને ખેતી કામ કરતા ભીમાભાઇ પરબતભાઈ ગાગલીયા નામના 60 વર્ષના ખેડૂત કે જેમણે પોતાના ઉપર તેમજ પોતાના ભત્રીજા હમીરભાઈ ઉપરાંત સામતભાઈ ઉપર કુહાસા લાકડાના ધોકા પાઇપ જેવા હથીયાર વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના સગા ભાઈ હીરાભાઈ પરબતભાઈ ગાગલીયા, તેમજ તેના પરિવારના ચેતન ઉર્ફે ગોવિંદભાઈ ભીમાભાઈ, સામત ભાઈ, હમીરભાઈ, હીરાભાઈ ગાગલીયા વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.

 આ ઉપરાંત સામા પક્ષે હીરાભાઈ પરબતભાઈ ગાગલીયાએ જમીનના પ્રશ્નો તકરાર પોતાના ઉપર તેઓ જ પોતાના પરિવારના સભ્યો પર હુમલો કરવા અંગે સમાજના ભીમાભાઇ પરબતભાઈ ગાગલીયા, ચેતન ગોવિંદભાઈ ગાગલિયા સામત નાથાભાઈ અને હમીર નાથાભાઈ ગાગલિયા સામે ફરિયાદ નોંધાવી છે.

 જેમાં ફરિયાદી વીરાભાઈ તેમજ તેમના પુત્ર રણમલભાઈને નાની મોટી ઈચ્છા થવાથી જામનગરની હોસ્પિટલમાં સારવાર અપાય છે લાલપુરનો પોલીસ કાફલો, ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ  હાશ ધરી છે.


Google NewsGoogle News