જામનગર શહેર કોંગ્રેસ દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
જામનગર શહેર કોંગ્રેસ દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ 1 - image

જામનગર,તા.02 ઓક્ટોબર 2023,સોમવાર

જામનગર શહેરમાં આજે બીજી ઓક્ટોબરના દિવસે શહેર કોંગ્રેસ દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી, અને ચાંદી બજાર સ્થિત મહાત્મા ગાંધી બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી નમન કર્યા હતા.

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ 2 - image

 જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, પ્રદેશના કોંગ્રેસ અગ્રણી સહારાબેન મકવાણા, કોર્પોરેટર રચનાબેન નંદાણીયા તેમજ અન્ય શહેર કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો વગેરે ચાંદી બજાર વિસ્તારમાં આવેલી પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી.


Google NewsGoogle News