જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ અપાઇ

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ અપાઇ 1 - image

જામનગર,તા.6 ડિસેમ્બર 2023,બુધવાર

ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકરની નિર્વાણ તિથિ નિમિત્તે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા તેઓને વિશેષ રૂપે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

 આજરોજ લાલ બંગલા સર્કલ ખાતે આવેલી ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકરની પ્રતિમાને જામનગર શહેર કોંગ્રેસના હોદ્દેદારો, જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, તેમજ દલિત સમાજના અગ્રણીઓ, અને કોંગ્રેસના નગરસેવકોએ ડો.બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પિત કરી શ્રદ્ધાંજલિ આપી હતી.


Google NewsGoogle News