જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા બ્રાસપાટના વેપારી પિતા-પુત્રને જૂની અદાવતના કારણે ધાક ધમકી: પાડોશી સામે ફરિયાદ

Updated: May 26th, 2024


Google NewsGoogle News
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા બ્રાસપાટના વેપારી પિતા-પુત્રને જૂની અદાવતના કારણે ધાક ધમકી: પાડોશી સામે ફરિયાદ 1 - image


Image Source: Freepik

જામનગર શંકર ટેકરી નવી નિશાળ પાસે રહેતા એક વેપારી તથા તેના પુત્રને પાડોશમાં જ રહેતા શખ્સે જૂની અદાવતનું મન દુઃખ રાખીને લાકડાનો ધોકો લઈને મારવા દોડી ધાકધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

જામનગરમાં શંકર ટેકરી નવી નિશાળ પાસે રહેતા અને બ્રાસપાટ નો વેપાર કરતાં અનવર હુસેન કાસમભાઈ ખફી નામના કારખાનેદારે પોતાને તેમજ પોતાના પુત્ર સુલતાનને ગાળો ભાંડી ધાક ધમકી આપવા અંગે તેમજ લાકડાનો ધોકો લઈને મારવા દોડવા અંગે પાડોશી અકબર યુસુફ ખફી સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી કારખાનેદાર અનવર હુસેન ખફી તેમજ આરોપી અકબર યુસુફ ખફી કે જે બંનેને અગાઉ માથાકૂટ થઈ હતી, જેનું મન દુઃખ રાખીને આરોપી મારવા દોડ્યો હોવાનું પોલીસ જાહેર કરાયું છે. સીટી સી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News