જામનગર : જોડીયાના પીઠડ ગામમાં રહેતા યુવાનનો ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
જામનગર : જોડીયાના પીઠડ ગામમાં રહેતા યુવાનનો ગળાફાંસા દ્વારા આપઘાત 1 - image


- પોતે કામ ધંધો કરતો ન હોવાથી પત્ની રિસાઈને ચાલી જતાં મનમાં લાગી આવવાથી ગળાફાંસો ખાધો

જામનગર,તા.07 માર્ચ 2024,ગુરૂવાર

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના પીઠડ ગામમાં રહેતા એક યુવાને પોતાની પત્ની રિસાઈને ચાલી ગઈ હોવાથી મનમાં લાગી આવતાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.

 આ બનાવની વિગત એવી છે કે જોડીયા નજીક પીઠડ ગામમાં રહેતા વિનોદભાઈ અવચરભાઈ ઝિંઝુવાડીયા નામના 48 વર્ષના યુવાને ગઈ કાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. આ બનાવ અંગે મૃતકના પુત્ર રવિ વિનોદભાઈ ઝીંઝુવાડીયા એ પોલીસને જાણ કરતાં જોડીયા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.

 પોલીસમાં જાહેર કરાયા અનુસાર છેલ્લા કેટલાક સમયથી મૃતક કોઈ કામ ધંધો કરતા ન હોવાથી તેની પત્ની જ્યોત્સનાબેન તેને મૂકીને ચાલી ગઈ હતી. જેથી તેનું મનમાં લાગી આવતાં ગળા ફાંસા દ્વારા આપઘાત કરી લીધો હોવાનું જાહેર થયું છે.


Google NewsGoogle News