જામનગર : લાલપુરના ખટિયા ગામના યુવાનનું તળાવમાં માછીમારી કરવા ગયા પછી ડૂબી જતાં અપમૃત્યુ

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
જામનગર : લાલપુરના ખટિયા ગામના યુવાનનું તળાવમાં માછીમારી કરવા ગયા પછી ડૂબી જતાં અપમૃત્યુ 1 - image

image : Pixabay

Jamnagar News : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટિયા ગામમાં રહેતા યુવાનનું તળાવમાં માછીમારી કરવા માટે ગયા પછી અકસ્માતે તળાવમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે.

 આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ખટીયા ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો ખોડાભાઈ બેચરભાઈ સીતાપરા નામનો 45 વર્ષનો યુવાન, કે જે ગઈકાલે ખડખંભાળીયા ગામના તળાવમાં માછીમારી કરવા માટે ગયો હતો. જ્યાં અકસ્માતે પાણીમાં પડી જતાં ડુબી જવાના કારણે તેનું મૃત્યુ નિપજ્યું હતું.

 આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ સુરેશભાઈ બેચરભાઈ સીતાપરાએ પોલીસને જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોસ્ટેબલએ મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News