જામનગર : લાલપુર નજીક ચેકડેમમાં ન્હાવા પડેલા તરૂણનું ડૂબી જતાં મોત

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
જામનગર : લાલપુર નજીક ચેકડેમમાં ન્હાવા પડેલા તરૂણનું ડૂબી જતાં મોત 1 - image
image : pixabay

Jamnagar News : જામનગર જિલ્લાના લાલપુર પાસે આવેલ ચેકડેમમાં ગઈકાલે તરૂણ ન્હાવા પડયો હતો. જેમાં ડૂબી જવાથી તેનું કરૂણ મૃત્યુ નિપજયું હતું. આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકો એકઠાં થઈ ગયા હતા અને ફાયરને જાણ કરતાં ઘટનાસ્થળે દોડી જઈ તરૂણનો મૃતદેહ બહાર કાઢયો હતો. આ બનાવને લઈ પરિવારમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.

સુત્રોમાંથી મળતી વિગત અનુસાર લાલપુરમાં રહેતા સાહિલભાઇ શેખ (ઉ.વ. 15) નામનો તરૂણ મંગળવારે બપોરના સુમારે શહેરની મીઠાપીરની દરગાહ પાસે આવેલ ચેક ડેમમાં નાહવા જતા ડૂબી ગયો હતો.

 જે બનાવની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા જયારે સ્થાનિક તરવૈયાઓ પણ ઘટનાસ્થળ પર પહોચ્યા હતા. તરૂણને બહાર કાઢવામાં આવ્યો હતો. જે મૃત હોવાનુ સામે આવ્યુ હતુ. બનાવની જાણ થતા પોલીસે પણ દોડી જઇ મૃતદેહનો કબેજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તરૂણના મૃત્યુના પગલે પરીવારમાં માતમ છવાયો છે. જયારે સંબંધિત વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.


Google NewsGoogle News