જામનગર : લાલપુરના પડાણા ગામમાં રહેતા 36 વર્ષીય પંજાબી યુવાનનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
જામનગર : લાલપુરના પડાણા ગામમાં રહેતા 36 વર્ષીય પંજાબી યુવાનનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ 1 - image

image : Freepik

Heart Attack Death in Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતા મૂળ પંજાબના વતની 36 વર્ષીય શીખ યુવાન પોતાના ઘરે બેશુદ્ધ બન્યા પછી હૃદય બંધ પડી જતાં અપમૃત્યુ થયું છે.

 આ બનાવની વિગત એવી છે કે મૂળ પંજાબના વતની અને હાલ લાલપુર તાલુકાના પડાણા ગામમાં બોઘાભાઈના મકાનમાં ભાડેથી રહેતા દલબીરસિંગ અમૃતસિંગ નામના 36 વર્ષના યુવાન કે જેને પોતાના ઘેર રાત્રિના દસેક વાગ્યાના સમયે છાતીમાં દુખાવો ઉપડ્યા પછી બેશુદ્ધ બની ગયા હતા. તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

 આ બનાવ અંગે મૃતકના પત્ની મનદીપકૌર દલવીરસિંઘે પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે જી.જી.હોસ્પિટલમાં દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News