જામનગર : લાલપુરના મેઘપર ગામમાં 34 વર્ષીય પંજાબી યુવાનનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
જામનગર : લાલપુરના મેઘપર ગામમાં 34 વર્ષીય પંજાબી યુવાનનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ 1 - image

image : Freepik

જામનગર,તા.31 જાન્યુઆરી 2024,બુધવાર

જામનગર શહેર અને જિલ્લામાં યુવાવયે હાર્ટ એટેકના બનાવવામાં દિન પ્રતિ દિન વધારો થતો જાય છે, અને ગઈકાલે લાલપુર નજીક મેઘપરમાં રહેતા 34 વર્ષીય પંજાબી યુવાનને પોતાના ઘેર હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ થયું છે.

 આ બનાવની વિગત એવી છે કે મૂળ પંચાબ રાજ્યના અમૃતસર જિલ્લાના વતની અને હાલ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં ભાડાના મકાનમાં રહીને ખાનગી કંપનીમાં નોકરી કરતા જગદીશસિંઘ નિર્મલસિંઘ નામના 34 વર્ષના શીખ યુવાનને ગઈકાલે રાત્રે ઉઠાડવા જતાં તેઓ નિદ્રાધીન અવસ્થામાં બેબાન બન્યા હતા, અને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા, તેઓને સારવાર અપાય તે પહેલાં ફરજ પરના તબીબે તેનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. 

આ બનાવ અંગે મૃતકના ભાઈ મનદીપસીંઘ નિર્મલસિંઘ પંજાબીએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે જી.જી. હોસ્પિટલમાં દોડી આવી મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News