જામનગર : ધ્રોલના જાયવા ગામના 30 વર્ષીય યુવાનનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ

Updated: Apr 25th, 2024


Google NewsGoogle News
જામનગર : ધ્રોલના જાયવા ગામના 30 વર્ષીય યુવાનનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ 1 - image

image : Freepik

Heart Attack Death in Jamnagar : જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના જાયવા ગામમાં રહેતા 30 વર્ષીય યુવાનનું હૃદય બંધ પડી જવાના કારણે અપમૃત્યુ થયું છે.

 આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા વિનોદભાઈ દામજીભાઈ કાશીયાણી નામના ત્રીસ વર્ષના યુવાનને ગઈકાલે પોતાના ઘેર નાહવા માટે જતાં એકાએક ચક્કર આવ્યા હતાઝ અને બેશુદ્ધ થઈને ઢળી પડ્યો હતો. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતાં તેનું હૃદય બંધ પડી ગયું હોવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું.

 આ બનાવ અંગે મૃતકના કુટુંબી કલ્યાણજીભાઈ દામજીભાઈએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News