જામનગર : લાલપુરના મેઘપર ગામમાં 25 વર્ષના શ્રમિક યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
જામનગર : લાલપુરના મેઘપર ગામમાં 25 વર્ષના શ્રમિક યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ 1 - image

image : Freepik

Heart Attack Death in Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા મૂળ ઓરિસ્સા રાજ્યના વતની પરપ્રાંતીય શ્રમિક યુવાનને ગઈકાલે પોતાના ઘેર એકાએક હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને તેનું મૃત્યુ નિપજ્યું છે. 

મૂળ ઓરિસ્સા રાજ્યના વતની અને હાલ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા ક્રિપાલભાઈ નામના વ્યક્તિના રહેણાક મકાનમાં ભાડેથી રહેતા આશિષકુમાર કલકરદાસ નામના 25 વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાનને ગઈકાલે પોતાના ઘેર બાથરૂમમાં હૃદય રોગનો હુમલો આવી ગયો હતો અને બેશુદ્ધ અવસ્થામાં હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

 રાજા ગોવિંદ નામના પર પ્રાંતિય અન્ય યુવાને પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો છે. જ્યારે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News