જામનગરમાં રિસામણે બેઠેલી પત્ની પાસેથી બાળકનો કબજો મેળવવા યુવતીના વૃદ્ધ પિતા પર જમાઈ-વેવાઈ સહિત ત્રણ શખ્સોએ હીચકારો હુમલો

Updated: May 27th, 2024


Google NewsGoogle News
જામનગરમાં રિસામણે બેઠેલી પત્ની પાસેથી બાળકનો કબજો મેળવવા યુવતીના વૃદ્ધ પિતા પર જમાઈ-વેવાઈ સહિત ત્રણ શખ્સોએ હીચકારો હુમલો 1 - image

image : Freepik

Crime News Jamnagar : જામનગરમાં અકબરશાનો ચોક વિસ્તારમાં રહેતી એક પરણીતા પોતાના માવતરે રિસાઈને આવી હોવાથી તેના દોઢ વર્ષના પુત્રનો કબજો મેળવવા માટે આવેલા પતિ-સસરા અને જેઠ વગેરેએ પોતાના વૃદ્ધ પિતા પર હીચકારો હુમલો કરી લોહી લૂહાણ કરી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં અકબરશાનો ચોક વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા નૂરમહંમદભાઈ હસનભાઈ ધોરાજીવાલા નામના 62 વર્ષના ગરાણા જ્ઞાતિના બુઝુર્ગે પોતાના ઉપર મુઠ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખવા અંગે પોતાના જમાઈ ફૈઝલ મોહમ્મદ મીઠવાણી, વેવાઇ મહંમદ સતાર મીઠવાણી તેમજ અલ્ફાજ મોહમ્મદ મીઠવાણી સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 આ હુમલાના બનાવમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી નૂરમહંમદભાઈની પુત્રી મહેજબીન કે જેના લગ્ન જામનગરમાં ટીટા ફળીમાં રહેતા ફૈઝલ મોહમ્મદ મિઠવાણી સાથે થયા હતા. જે લગ્ન થકી પુત્ર અલીનો જન્મ થયો હતો, જે હાલ દોઢ વર્ષનો છે. જ્યાં પતિ સાથે વાંધો પડતાં આજથી 20 દિવસ પહેલાં દોઢ વર્ષના પુત્ર અલીને લઈને પોતાના પિતાને ઘેર રહેવા માટે આવી ગઈ હતી.

 જ્યાં ગઈકાલે પતિ ફૈઝલ, સસરા મોહમ્મદભાઈ, તથા અલ્ફાઝભાઈ ત્રણેય વેવાઈને ઘેર આવ્યા હતા. અને બળજબરીપૂર્વક પુત્ર અલીનો કબજો મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી નૂરમામદભાઈએ જો પુત્રનો કબજો મેળવવો હોય, તો અદાલત મારફતે મેળવજો તેમ કહેતાં ત્રણેય ઉશ્કેરાયા હતા, અને આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.


Google NewsGoogle News