જામનગરમાં ગુલાબનગરમાં રહેતા યુવાનનું કામકાજ ચાલતું ન હોય ગળાફાંસો ખાઈ લીધો

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
જામનગરમાં ગુલાબનગરમાં રહેતા યુવાનનું કામકાજ ચાલતું ન હોય ગળાફાંસો ખાઈ લીધો 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 23 માર્ચ 2024 શનિવાર

જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં આવેલી સિન્ડીકેટ સોસાયટીમાં રહેતા એક યુવાનને પગમાં દુખાવો રહેતો હોય તેમજ કામકાજ બરાબર ચાલતું ન હોય જેનાથી કંટાળી જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.

આ બનાવની પ્રાપત વિગત એવી છે કે, જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં આવેલ સિન્ડીકેટ સોસાયટીની શેરી નંબર રમાં રહેતા પ્રવીણભાઈ જેન્તીભાઈ બુમતારિયા નામના ૪૦ વર્ષીય યુવાનને છેલ્લા ત્રણ–ચાર વર્ષથી પગમાં દુખાવો રહેતો હોય જેના લીધે તેમનું કામકાજ સરખુ ચાલતુ ન હોય જેથી પોતે જિંદગીથી કંટાળી જતા ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો. 

આ બનાવ અંગે મૃતકનાભાઈ મનિષભાઈ જેન્તીભાઈ બુમતારીયાએ પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News