કાલાવડના કુંભનાથપરા વિસ્તારમાં રહેતી દેવીપુજક યુવતીનો ઝેરી દવા પી લઈ આપઘાત

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
કાલાવડના કુંભનાથપરા વિસ્તારમાં રહેતી દેવીપુજક યુવતીનો ઝેરી દવા પી લઈ આપઘાત 1 - image


- બહાર સુવા બાબતે પોતાના મંગેતર સાથે મોબાઈલ ફોનમાં ઝઘડો થયા પછી મનમાં લાગી આવતાં ઝેર પી લીધું

જામનગર,તા.19 માર્ચ 2024,મંગળવાર

જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં રહેતી 24 વર્ષની દેવીપુજક યુવતીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. પોતાના મંગેતર સાથે બહાર સુવાના મામલે મોબાઈલ ફોનમાં ઝઘડો થયા પછી મનમાં લાગી આવતાં ઝેર પી લઇ મોતની સોડ તાણી લીધી છે. જે મામલે કાલાવડ ટાઉન પોલીસ તપાસ ચલાવે છે.

 આ બનાવની વિગત એવી છે કે મૂળ કોટડા સાંગાણીની વતની અને હાલ કાલાવડમાં કુંભનાથ પરા વિસ્તારમાં રહેતી હેતલબેન ધનાભાઈ વાઘેલા નામની 24 વર્ષીય દેવીપુજક યુવતીએ ગત 10મી તારીખે ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.

 પોલીસમાં જાહેર કરાયા અનુસાર હેતલબેન કે જેની સગાઈ થઈ ગઈ છે, અને તેણીના મંગેતર સાથે બનાવના બે દિવસ પહેલાં રાત્રિના બહાર સુવા બાબતે મોબાઈલ ફોનમાં બોલાચાલી થઈ હતી, તેથી તેણીને મનમાં લાગી આવતાં ઝેર પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, અને સારવારમાં તેણીએ દમ તોડી દીધો છે.



Google NewsGoogle News