જામનગરના બેડેશ્વર વિસ્તારમાં પાણીના હીટરમાંથી વીજ આંચકો લાગતાં યુવતીનું અપમૃત્યુ

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં પાણીના હીટરમાંથી વીજ આંચકો લાગતાં યુવતીનું અપમૃત્યુ 1 - image

image : Freepik

જામનગર,તા.22 માર્ચ 2024,શુક્રવાર

જામનગરના બેડેશ્વર નજીક વસીલા ચોકમાં રહેતી એક યુવતીને પોતાના ઘેર હીટરમાંથી વીજ આંચકો લાગ્યો હતો, અને સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં બેડેશ્વર નજીક વસીલા ચોકમાં રહેતી વૈશાલીબેન રાજેન્દ્રસિંહ જાડેજા (ઉંમર વર્ષ 21) કે જે પોતાના ઘેર પાણી ગરમ કરતી હતી, દરમિયાન તેને હીટરમાંથી વીજ આંચકો લાગ્યો હતો, અને બેશુદ્ધ બની હતી.

 જેથી તેને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી.. હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં સારવાર મળે તે પહેલાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. 

આ બનાવ અંગે વિલાસબા મંગળસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News