જામનગરના બજરંગપુર ગામના સેવાભાવી ભજનીકને નિધન બાદ અનોખી વિદાય : ગ્રામજનોએ ધૂન, ભજન, કીર્તન સાથે કાઢી અંતિમયાત્રા

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
જામનગરના બજરંગપુર ગામના સેવાભાવી ભજનીકને નિધન બાદ અનોખી વિદાય : ગ્રામજનોએ ધૂન, ભજન, કીર્તન સાથે કાઢી અંતિમયાત્રા 1 - image


Jamnagara News : જામનગર તાલુકાના બજરંગપુર ગામના સેવાભાવી ભજની કે જેઓનું નિધન થતાં ગ્રામજનો દ્વારા તેઓને વિશષ રૂપે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેઓની અંતિમ યાત્રાની સાથે સાથે ગ્રામજનોએ ધૂન ભજન ગાઇને વિશેષ રૂપે અંજલી પાઠવી હતી, જેમાં સમગ્ર ગ્રામજનો જોડાયા હતા.

જામનગર તાલુકાના બજરંગપુર ગામના પટેલ સમાજના સ્વ.વલ્લભભાઈ બાવનજીભાઈ ગજેરા કે જેઓ ગામના દરેક ધાર્મિક પ્રસંગોમાં ભજન કીર્તન રાસગરબામાં ગાયક તરીકે સેવા આપતા હતા.

 જેઓ ભજન કીર્તન ગાવાના ખુબ જ શોખીન હતા. કોઈ પણ પ્રકારની રકમ કે આર્થિક સહાય લીધા વગર કોઇપણ જગ્યાએ નાતજાતના ભેદભાવ વગર સેવા આપતા હતા. તથા ગામના કોઈપણ કામ માં સતત સેવાઓ આપતા સ્વ.વલ્લભભાઈ બાવનજીભાઈ ગજેરાનું ગઈકાલે અવસાન થતાં ભજનના બહુ જ શોખીન હોવાથી તેમની અંતિમ યાત્રામાં ધામધૂમથી ભજન કીર્તન મંડળી સાથે અનોખી રીતે અંતિમ યાત્રા નીકળી હતી, અને સમગ્ર ગ્રામજનોએ ભજનિકને વિશેષરૂપે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.


Google NewsGoogle News