જામનગરના બેડીગેઇટમાં આવેલા ભગવાન સ્વામિનારાયણ મંદિરમાં આજે દેવ ઉઠી એકાદશીએ ફળ-ફ્રૂટના દર્શનની ઝાંખી

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
જામનગરના બેડીગેઇટમાં આવેલા ભગવાન સ્વામિનારાયણ મંદિરમાં આજે દેવ ઉઠી એકાદશીએ ફળ-ફ્રૂટના દર્શનની ઝાંખી 1 - image

જામનગર,તા.23 નવેમ્બર 2023,ગુરૂવાર

જામનગર શહેરમાં આજે દેવઊઠી એકાદશીની ઉજવણી ચાલી રહી છે, ત્યારે બેડીગેઇટ વિસ્તારમાં આવેલા ભગવાન સ્વામિનારાયણ મંદિરમાં પણ દેવ ઉઠી એકાદશીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી, અને ફળોના દર્શનની ઝાંખી રાખવામાં આવી છે. 

ભગવાન સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી સ્વામી મહારાજ તથા અન્ય સંતો દ્વારા મંદિરના દ્વાર પર શેરડી મૂકીને તેની વિશે ઝાંખી ઉભી કરવામાં આવી છે, તેમજ ભગવાન સ્વામિનારાયણને અલગ અલગ ફળ-ફ્રુટ ધરાવીને તેની દર્શનની ઝાંખી ઉભી કરવામાં આવી છે, જેને દર્શનનો ભાવિકોએ લાભ લીધો હતો.


Google NewsGoogle News