જામનગરના મુંગણી ગામમાં માછીમારી કરવા માટે ગયેલા સિક્કાના માછીમાર યુવાનનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
જામનગરના મુંગણી ગામમાં માછીમારી કરવા માટે ગયેલા સિક્કાના માછીમાર યુવાનનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ 1 - image

image : Pixabay

જામનગર,તા.19 ઓક્ટોબર 2023,ગુરૂવાર 

જામનગરના સિક્કા પંથકના નાગાણી સરમત વિસ્તારમાં રહેતો અને માછીમારી કરતો 35 વર્ષનો યુવાન એકાએક પાણીમાં ડૂબી ગયો હતો, અને તેનું મૃત્યુ નિપજ્યું છે.

 સિક્કામાં નાગાણી વિસ્તારમાં રહેતા જુસબભાઈ અબ્દુલભાઇ રેલીયા નામનો માછીમાર યુવાન થર્મલ પાવર પ્લાન્ટ નજિકની બાજુમાં માછીમારી કરવા માટે ગયો હતો, ત્યાં એકાએક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નીપજયું હતું. 

આ અંગે પોલીસને જાણ કરાતાં સિક્કા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News