જામનગરમાં એમ.પી.શાહ ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલા ભંગારના વાડામાં આગની ઘટનાથી દોડધામ

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
જામનગરમાં એમ.પી.શાહ ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલા ભંગારના વાડામાં આગની ઘટનાથી દોડધામ 1 - image


Fire in Scrap Godown at Jamnagar : જામનગરમાં એમ.પી.શાહ ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલા ભંગારના એક વાડામાં આજે સવારે સવા સાતેક વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી, અને ભંગારના વાડામાં રાખવામાં આવેલા પ્લાસ્ટિકના ડબલા, પૂઠા, પ્લાસ્ટિક બેરલ, તથા અન્ય ભંગારનો સામાન વગેરે સળગ્યો હતો અને આગના લબકારાઓ આસપાસના વિસ્તારમાં દેખાતા હતા. 

આ બનાવ અંગે ભંગારના વાડાના સંચાલક યોગેન્દ્ર.એચ.સંધિએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને જુદા જુદા પાણીના બે ટેન્કરો વડે પાણીનો મારો ચલાવી, સમયસર આગને કાબુમાં લઈ લેતાં ભંગારના વાડામાં આગ વધુ પ્રસરતી અટકી હતી.


Google NewsGoogle News