જામનગરમાં પવન ચક્કી નજીક અડાલજા શેરીમાં બંધ રહેણાંક મકાનમાં આગજનીની ઘટનાથી દોડધામ

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
જામનગરમાં પવન ચક્કી નજીક અડાલજા શેરીમાં બંધ રહેણાંક મકાનમાં આગજનીની ઘટનાથી દોડધામ 1 - image


આગના લબકારા મોડી રાત્રે દૂર સુધી દેખાયા: આસપાસના રહેવાસીઓ સફાળા જાગી ગયા:ફાયરે આગ બુઝાવી

જામનગર,તા.07 માર્ચ 2024,ગુરૂવાર

જામનગરમાં પવનચક્કી સર્કલ નજીક અડાલજા શેરીમાં આવેલા એક જુનવાણી બંધ મકાનમાં અકસ્માતે આગ લાગી હતી. મકાનમાં પ્લાસ્ટિક લાકડું કચરો વગેરે પડ્યો હોવાના કારણે સળગ્યો હોવાથી આગ ના લબકારા દૂર સુધી દેખાયા હતા અને આસપાસના વિસ્તાર ના લોકો સફાળા જાગી ગયા હતા.

જામનગરમાં પવન ચક્કી નજીક અડાલજા શેરીમાં બંધ રહેણાંક મકાનમાં આગજનીની ઘટનાથી દોડધામ 2 - image

 આગના બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખા ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે ફાયરિંગ કરી આગને બુજાવી દીધી હતી. સમયસર આગ કાબુમાં આવી જતાં આસપાસના મકાનમાં આગ પ્રસરતાં અટકી હતી, અને સર્વે એ હાશકારો અનુભવ્યો હતો.


Google NewsGoogle News