જામનગરમાં નંદનવન પાર્ક વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ: ફાયરે આગ બુઝાવી

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
જામનગરમાં નંદનવન પાર્ક વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ: ફાયરે આગ બુઝાવી 1 - image

જામનગર,તા.03 નવેમ્બર 2023,શુક્રવાર

જામનગરના નંદન પાર્ક શેરી નંબર પાંચમાં એક મકાનના બીજેમાળે વહેલી સવારે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને ઘરવખરી બળીને ખાખ થઈ હતી.

આગના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં હર્ષદ મિલની ચાલી મેન રોડ પર નંદનવન પાર્ક શેરી નંબર પાંચમાં રહેતા હિતેશભાઈ હિંમતલાલ ચુડાસમાના મકાનમાં આજે સવારે છ વાગ્યે એકાએક શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને આગમાં મોટાભાગની ઘર વખરી બળીને ખાખ થઈ હતી.

આગના બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. આ બનાવમાં સદભાગ્યે જાનહાની ટળી છે.


Google NewsGoogle News