જામનગરમાં ખોડીયાર કોલોની નજીક બંધ પડેલી ખાનગી લકઝરી બસમાં આગ લાગતાં દોડધામ: ફાયરે આગ બુઝાવી

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News
જામનગરમાં ખોડીયાર કોલોની નજીક બંધ પડેલી ખાનગી લકઝરી બસમાં આગ લાગતાં દોડધામ: ફાયરે આગ બુઝાવી 1 - image

જામનગર,તા.27 નવેમ્બર 2023,સોમવાર

જામનગરમાં ખોડીયાર કોલોની નજીક અશોક સમ્રાટ નગર વિસ્તારમાં માર્ગ પર બંધ પડેલી એક ખાનગી લક્ઝરી બસમાં આગ લાગી ગઈ હતી, અને બસ બળીને ખાખ થઈ હતી. ફાયરે આગને બુઝાવી હતી.

આગના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની નજીક અશોક સમ્રાટ નગર વિસ્તારમાં લાંબા સમયથી પાર્ક કરવામાં આવેલી જી.જે.1-બી.વાય.9583 નંબરની ખાનગી લક્ઝરી બસ કે જેમાં ગઈકાલે રાત્રેના દસેક વાગ્યાના અરસામાં એકાએક આગ લાગી ગઈ હતી, અને બસ ભડકે બળી હતી.

આગની જ્વાળાઓને જોઈને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને બુઝાવી હતી, પરંતુ તે પહેલાં લક્ઝરી બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આગનું ચોક્કસ કારણ અથવા કોની માલિકીની બસ છે, તે જાણી શકાયું નથી.


Google NewsGoogle News