જામનગરના યુવાન પાસેથી માસિક 15 ટકા જેટલું રાક્ષસી વ્યાજ વસૂલ કરનાર પેટ્રોલ પંપના સંચાલક સામે ફરિયાદ

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
જામનગરના યુવાન પાસેથી માસિક 15 ટકા જેટલું રાક્ષસી વ્યાજ વસૂલ કરનાર પેટ્રોલ પંપના સંચાલક સામે ફરિયાદ 1 - image

જામનગર,તા.04 નવેમ્બર 2023,શનિવાર

જામનગરના એક યુવાન પાસેથી 15 ટકા જેટલું રાક્ષસી વ્યાજ વસૂલ કરનાર કોરા ચેકમાં સહી કરાવી લેનાર પેટ્રોલ પંપના સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

ફરિયાદી યુવાન પાસેથી ત્રણ લાખ રૂપિયાના વ્યાજ અને પેનલ્ટી સહિતના 16.65 લાખ રકમ ચૂકવી દીધા છતાં ધાક ધમકી આપી વધુ નાણા પડાવવા કોરા કાગળમાં સહી કરાવી લીધી છે. જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક યુવાન પાસેથી ત્રણ લાખનું માસિક 15 ટકા લેખે વ્યાજ વસુવાના ભાગરૂપે 16.65 લાખની રકમ પડાવી લીધા પછી પણ વધુ નાણા પડાવવા માટે કોરા ચેકમાં સહી કરાવી આપતાં યુવાનના પત્ની દ્વારા પોલીસ ફરિયાદ કરાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતી લલીતાબેન જશાલાલ નામની મહિલાએ આરોપી પેટ્રોલ પંપ સંચાલક મહેશભાઈ સામે પોતાના પતિને ગેરકાયદે ગોંધી રાખી મોટી રકમ પડાવી લેવા અંગે તેમજ વધુ પૈસા કઢાવવા કોરા ચેકમાં પણ સહી કરાવી લીધી હતી. જે બનાવ અંગે નાની ખાવડી ગામે પેટ્રોલ પંપ ધરાવતા માણસ મૂળજીભાઈ સામે સામે ફરિયાદ નોંધાવી છે

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર લલિતાબેનના પતિ જસાભાઈ પોતાની જરૂરિયાત માટે દોઢ વર્ષ પહેલા આરોપી પાસે માસિક 15 ટકા લેખે વ્યાજની ગણતરી સાથે ત્રણ લાખ રૂપિયા મેળવ્યા હતા. જે મૂળ રકમ તેમજ તેના પર વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ તથા પેનલ્ટી સહિત વસુલ કુલ 16,65,000 જેટલી રકમ ચૂકવી દીધી હતી' તેમ છતાં વધુ રકમ પડાવા માટે પેટ્રોલ પંપના સંચાલક મહેશભાઈએ ટેલીફોન કરીને જસાભાઈને ધાક ધમકી આપી હતી. એટલું જ માત્ર નહીં પેટ્રોલ પંપ સંચાલકે જસાભાઈ પાસેથી કોરા ચેકમાં સહી કરાવી લીધી છે. જેથી જસાભાઇના પત્ની લલીતાબેન સામે આવ્યા હતા, અને મામલો સિક્કા પોલીસ મથકમાં લઈ જવાયો છે. પોલીસે લલિતાબેનની ફરિયાદના આધારે પેટ્રોલ પંપ સંચાલક મહેશભાઈ સામે મની લોન્ડરીંગ એક્ટ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તેની શોધખોળ શરૂ કરી છે.


Google NewsGoogle News