જામનગરના નવાગામ ઘેડમાં બે જૂથ વચ્ચે મારામારી થતાં ભારે દોડધામ : ચાર વ્યક્તિ ઘાયલ

Updated: Apr 26th, 2024


Google NewsGoogle News
જામનગરના નવાગામ ઘેડમાં બે જૂથ વચ્ચે મારામારી થતાં ભારે દોડધામ : ચાર વ્યક્તિ ઘાયલ 1 - image


Crime Scene in Jamnagar : જામનગરમાં આજે સવારે નવાગામ ઘેડ વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો, અને તંગદીલી ભર્યું વાતાવરણ બન્યું હતું. સામસામા હુમલામાં ચાર વ્યક્તિ ઘાયલ થવાથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાઈ હતી, ત્યાં પણ લોકોના ટોળા ઉમટ્યા હતા. લોઢીયા ગામના મેળા ના જુના મન દુઃખમાં આ તકરાર થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આજે સવારે એકાએક બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી, અને સામ સામે છરી-ધોકા-પાઇપ જેવા હથિયારો વડે હુમલા કરાયા હતા. જે હુમલાના બનાવમાં ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઇ હતી, અને તેઓને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની જીજી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યાં પણ ઈજાગ્રસ્તના સમર્થકો ટોળાં સ્વરૂપે એકઠા થયેલા જોવા મળ્યા હતા. જેથી પોલીસ ટુકડી દોડતી થઈ હતી, અને જી.જી. હોસ્પિટલ તેમજ નવાગામ ઘેડ વિસ્તારમાં પોલીસ પહેરો ગોઠવી દીધો હતો.

 જામનગર તાલુકાના લોઠીયા ગામમાં મેળો ભરાયો હતો, જે મેળામાં બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, જેનું મન દુઃખ રાખીને આજે સવારે ફરીથી બંને જૂથ વચ્ચે ચકમક ઝરી હતી, અને સામસામમાં હુમલા કરાયાનું જાણવા મળી રહયું છે. સમગ્ર મામલે સીટી બી. ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News