જામનગરમાં લાલવાડી વિસ્તારમાં પૈસાની લેતી દેતી ના મામલે પિતા-પુત્ર પર હુમલો ૩ સામે ફરિયાદ

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
જામનગરમાં લાલવાડી વિસ્તારમાં પૈસાની લેતી દેતી ના મામલે પિતા-પુત્ર પર હુમલો ૩ સામે ફરિયાદ 1 - image

image : Freepik

Crime News Jamnagar : જામનગરમાં લાલવાડી વિસ્તારમાં રહેતા અને ટિફિન સર્વિસ ચલાવતા પિતા પુત્ર ઉપર પૈસાની લેતી લેતી ના મામલે ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખી ફેક્ચર સહિતની ગંભીર ઈજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જયારે ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા છે.

 આ મારામારીના બનાવની વિગત એવી છે કે જામનગરમાં લાલવાડી વિસ્તારમાં રહેતા અને ટિફિન સર્વિસ ચલાવતા અશોકભાઈ શામજીભાઈ મકવાણા નામના 50 વર્ષના આધેડે પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર વિવેક ઉપર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી હાથ અને પગમાં ફેક્ચર કરી નાખવા અંગે તેમજ લોહી લુહાણ કરી નાખવા લાલવાડી વિસ્તારમાં જ રહેતા ઉપેન્દ્ર મનસુખભાઈ ખાણધર, નીરવ ઉર્ફ તોતો ભટ્ટી તેમજ તેના અનેક અજાણ્યા સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ટિફિન સર્વિસ સંચાલક અશોકભાઈના પુત્ર વિવેકે અગાઉ આરોપીઓ ઉપેન્દ્ર પાસેથી નજીવી રકમ હાથ ઉછીની લીધી હતી.

 જે પરત આપવાના મામલે આરોપીઓએ તકરાર કરી હતી અને ફરિયાદીના ઘર પાસે જઈ આ હુમલો કરી પિતાનું પોલીસ પણ જાહેર થયું છે પોલીસે ત્રણેય આરોપીઓ સામે હુમલા અંગેની કલમ હેઠળ ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ઘરી છે.


Google NewsGoogle News