જામજોધપુર લાલપુરમાં ખેડૂતો દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માંગ સાથે આવેદનપત્ર અપાશે

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
જામજોધપુર લાલપુરમાં ખેડૂતો દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માંગ સાથે આવેદનપત્ર અપાશે 1 - image


જામનગર, તા. 17 ડિસેમ્બર 2023 રવિવાર

સરકાર દ્વારા ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવાતા ખેડૂતોની સ્થિતી કફોડી થઈ છે. ખેડૂતને કમાવવાના દિવસોમાજ ડુંગળી ના ભાવ ગગડી જતા ખેડુત ને પારાવાર આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. જેથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવાની માંગ સાથે જામજોધપુર મુકામે ૧૮-૧૨- ૨૩ અને સોમવારે સવારે ૧૧ કલાકે મામલતદાર કચેરી ખાતે તેમજ ૨૧-૧૨-૨૦૧૩ ગુરૂવાર ૧૧ કલાકે લાલપુર મુકામે આવેદનપત્ર આપવાવામા આવશે.

લાલપુર તાલુકાના ખેડુતો તથા જામ-જોધપુર તાલુકાના ખેડૂતોને આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ મા ઊપસ્થિત રહેવા ખેડુત ઉત્કર્ષ સમિતી ના પ્રમુખ પ્રવિણભાઈ નારીયા જણાવ્યું છે.


Google NewsGoogle News