ધ્રોળ તાલુકાના ડાંગરા ગામમાં રહેતા ખેડૂત યુવાનને પૈસાની ઉઘરાણીના પ્રશ્ને ધાકધમકી: ત્રણ સામે ફરિયાદ

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
ધ્રોળ તાલુકાના ડાંગરા ગામમાં રહેતા ખેડૂત યુવાનને પૈસાની ઉઘરાણીના પ્રશ્ને ધાકધમકી: ત્રણ સામે ફરિયાદ 1 - image


જામનગર, તા. 11 ફેબ્રુઆરી 2024, રવિવાર

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ડાંગરા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા સહદેવસિંહ ભાવુભા જાડેજા નામના ખેડૂત યુવાને પોતાને ટેલીફોન પર ધાકધમકી આપવા અંગે પડધરીના ભરત સિંહ નટુભા જાડેજા, ભાવનગરના વિજય સિંહ ભરતસિંહ જાડેજા અને પડધરી ના ઉપેન્દ્રસિંહ નટુભા જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી ભરતસિંહના પુત્રના લગ્ન હોવાથી ફરિયાદી સહદેવસિંહ પાસેથી હાથ ઉછીના પૈસા લીધા હતા. જેને લાંબો સમય વીતી ગયો હોવા છતાં પૈસા પરત આપ્યા ન હોવાથી ખેડૂત યુવાનને પૈસાની માંગણી કરતાં ત્રણેય આરોપીઓએ ધાકધમકી આપ્યાની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવાઈ છે.


Google NewsGoogle News