જામનગર નજીક નાઘેડીમાં આવેલા એક કારખાનામાં તસ્કરોએ ધનતેરસના દિવસે કર્યો હાથ સાફ

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
જામનગર નજીક નાઘેડીમાં આવેલા એક કારખાનામાં તસ્કરોએ ધનતેરસના દિવસે કર્યો હાથ સાફ 1 - image


Image Source: Freepik

- કારખાનામાં રાખવામાં આવેલા પિત્તળ અને સીસા સહિત 1,01,500ની કિંમતનો માલ સામાન ચોરી કરી ગયા ની ફરિયાદ

 જામનગર, તા. 12 નવેમ્બર 2023, રવિવાર

જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં ધનતેરસ વા તહેવારના દિવસે તસ્કરોએ બોણી કરી હતી અને એક કારખાના ને નિશાન બનાવી લઈ અંદરથી રૂપિયા એક લાખ પંદરસોની કિંમતના પિતળ-શીશું વગેરેના માલ સામાનની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જામનગરમાં સદગુરુ કોલોની માં રહેતા અને નાઘેડી વિસ્તારમાં ઇ.સી. ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ધરાવતા હાર્દિકભાઈ વજશીભાઈ ગોજિયાએ પોતાના કારખાનામાંથી ધનતેરસની રાત્રીના સમયગાળા દરમિયાન કોઇ તસ્કરો 1,01,500નીની કિંમતની માલમત્તા ની ચોરી થઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. 

જે ફરિયાદના અનુસંધાને પંચકોશી બી. ડિવિઝન નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સીસીટીવી કેમેરાઓની મદદથી તસ્કરોની ઓળખ કરવા માટેની કવાયત હાથ ધરી છે.


Google NewsGoogle News