જામનગરમાં મણીયાર શેરીમાં રહેતી એન્જિનિયર યુવતીનો પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: May 27th, 2024


Google NewsGoogle News
જામનગરમાં મણીયાર શેરીમાં રહેતી એન્જિનિયર યુવતીનો પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આપઘાત 1 - image


Suicide Case in Jamnagar : જામનગરમાં મણિયાર શેરી વિસ્તારમાં રહેતી એક એન્જિનિયર યુવતીએ ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. તેણી રાજકોટમાં નોકરી હોવાથી અને જામનગરમાં રહેવું ગમતું ન હોવાના કારણે આ પગલું ભરી લીધાનું પિતા દ્વારા જાહેર કરાયું છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સેત્તાવાડ-મણીયાર શેરીમાં રહેતી અને રાજકોટમાં એન્જિનિયર તરીકે પ્રાઇવેટ નોકરી કરતી તમન્નાબેન અમિતભાઈ મણિયાર નામની 23 વર્ષની મોઢ વણીક અપરણિત યુવતીએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.

 આ બનાવ અંગે મૃતકના પિતા અમિતભાઈ પ્રભુલાલ મણીયારે પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝનની પોલીસ બનાવના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો હતો, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 પિતા દ્વારા જાહેર કરાયા અનુસાર તેઓની પુત્રી તમન્ના કે જે અપરણિત હતી, અને એન્જિનિયરિંગ નો અભ્યાસ કર્યા પછી રાજકોટમાં રહીને પ્રાઇવેટ નોકરી કરતી હતી. પરંતુ તાજેતરમાં બે માસ પહેલાં જામનગર રહેવા માટે આવી હતી, અને અપડાઉન કરતી હતી. પરંતુ તેણીને જામનગર રહેવું ગમતું ન હોવાથી આ પગલું ભરી લીધાનું જણાવાયું છે. સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News